• ફળ, શાકભાજીમાં માત્ર લણણી કર્યે નહીં ચાલે, કૃષિ પેદાશને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો ઉપાય
• કૃષિ ઉત્પાદનના ભરાવાને કારણે માંગ-પૂરવઠાનો સિદ્ધાંત અવરોઘાતા જે-તે પાકની માંગ કરતાં પૂરવઠો વધી જાય તો પણ એ પાકનો પોષણક્ષમ ભાવ મેળવવામાં કેનિંગ-પેકેજિંગને લીઘે ખેડૂતને કોઈ જ મુશ્કેલી પડતી નથી
Agriculture News : ગુજરાતના ખેડૂતો આજના સમયમાં ખેતી તો કરે જ છે તેની સાથે પાકના મૂલ્યવર્ધનમાં પણ મોખરે છે. અનેક ખેડૂતોએ મૂલ્યવર્ધન દ્વારા પોતાની ખેતીને પોષણક્ષમ બનાવી છે. એક સમયે જ્યાં ફળ અને શાકભાજીનો ઉપયોગ ફક્ત તાજા ખોરાકરૂપે જ થાય તેવો સમય હતો, આજે મૂલ્યવર્ધનના કારણે કેરી, પાઇનેપલ, જામફળ, ટમેટા જેવા બાગાયતી પાકનું આર્થિક મૂલ્ય અને તેની ગુણવત્તા લાંબા સમય સુધી પેકેજિંગ અને કેનિંગ દ્વારા વધારી શકાય છે. જો યોગ્ય રીતે પેકિંગ અને કેનિંગ કરવામાં આવે તો તેના મૂલ્યમાં અનેકગણો વધારો થઈ શકે છે અને ખેડૂતને પણ સીધો નફો થાય છે.

