ખેતીમાં ખર્ચ ઓછો અને આવક વધારવા માણસાના ખેડૂતે શોધ્યો ગજબનો ઉપાય

પ્રકૃતિ સાથે જોડાયેલી કોઈ પણ બાબતનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે નફા-ખોટની વાત આવે ખરી ? પરંતુ માનવીય સ્વભાવ છે કે, કોઈ પણ બાબતની ચર્ચા થાય ત્યારે ‘‘મારે શું અને મારું શું ?’’નો પ્રશ્ન પહેલો ઉદ્‌ભવે. રાસાયણિક ખેતીના વમળમાં ફસાયેલો ખેડૂત મનોમન સ્વીકારે તો છે જ કે રાસાયણિક ખેતી કોઈ રીતે ફાયદાકારક નથી, પણ જેવી હોય તેવી, ઉત્પાદન તો વધુ આવે છે. અને ઉત્પાદન વધુ આવે તો ગમે તેટલો ખર્ચો થાય, પણ કંઈક ને કંઈક મળી રહેશે.

ખેડૂતોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે, રાસાયણિક ખેતીના વિકલ્પે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો સરવાળે નુકસાન જાય છે, કારણ કે, ઉત્પાદન પ્રમાણમાં ઓછું મળે છે, પણ વાસ્તવિકતા સાવ એવી નથી. કયાંક ઉત્પાદન ઓછું મળે તો ભાવ ડબલ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *