• જે ખેડૂત ખેતીની સાથે મૂલ્યવર્ધન અપનાવે, તેને ખેતીમાં ક્યારેય નિરાશ નહીં થવું પડે
• ખેડૂતો કૃષિખર્ચ અને અનિશ્ચિત બજારથી પરેશાન છે, ત્યારે વાસુદેવભાઈએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી
• ઘઉં, તુવેર, ચણા જેવા પરંપરાગત ખેતીપાકના મૂલ્યવર્ધન દ્વારા આવક વૃદ્ધિનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે
Agriculture News : આધુનિક કૃષિ માત્ર ખેતરમાં પાક ઉગાડવા પૂરતી સીમિત રહી નથી. આજે, ખેડૂતો અને કૃષિઉદ્યોગ માટે આવક વધારવાનો અને બજારની સ્પર્ધામાં ટકી રહેવાનો સૌથી અસરકારક માર્ગ મૂલ્યવર્ધન છે. મૂલ્યવર્ધનનો સીધો અર્થ છે કે, ખેતરમાંથી મેળવેલા કાચા માલને પ્રોસેસિંગ, પેકેજિંગ અથવા અન્ય પ્રક્રિયાઓ દ્વારા એક એવા ઉત્પાદનમાં રૂપાંતરિત કરવો, જેની બજારમાં વધારે કિંમત મળી શકે.

