Agriculture News : સામાન્ય રીતે વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે આ વર્ષે એવું બન્યું કે વરસાદ તો શું વરસાદનું નામ પણ પડે કે તેની આગાહી થાય તોય ખેડૂત થથરી જાય એવી સ્થિતિ ગત ચોમાસામાં સર્જાઈ. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય કહી શકાય તેવા દિવસોમાં જે રીતે વરસાદે કહેર વર્સાવ્યો, તેના કારણે કરોડો રૂપિયાનું કૃષિઅર્થતંત્રને નુકસાન થયું. આ સંજોગોમાં વરસાદ કે વરસાદી પાણીના સંગ્રહની વાત પણ કોઈ ખેડૂતને કરવી એ કેટલી સલાહભરી ? તેવો પ્રશ્ન સહેજેય થાય.
વાત તો સાચી છે. જ્યાં કહેર સર્જાયો હોય ત્યાં જળસંચયની વાત કદાચ પ્રસ્તુત ન પણ લાગે.

