Agriculture News : વરિયાળી ગુજરાતના મહત્ત્વના મસાલા પાકોમાંનો એક ગણાય છે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ અને જામનગર જેવા જિલ્લાઓમાં તેનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે. સુગંધિત બીજ, ઔષધીય ગુણધર્મો અને નિકાસની તકો હોવાથી આ પાક ખેડૂતોને સારી આવક આપે છે. ઓછી સિંચાઈમાં ઊગી શકે, બજારમાં ઊંચો ભાવ મળે અને સંગ્રહક્ષમતા વધારે હોવાથી વરિયાળી લાભદાયક પાક તરીકે ઓળખાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આબોહવામાં પરિવર્તન, અનિયમિત વરસાદ, ભેજવાળા વાતાવરણ અને જીવાતો-રોગોના વધતા પ્રભાવને કારણે પાકને ભારે નુકસાન થવાનું જોખમ ઊભું થયું છે. પાક ઉત્પાદન જાળવવા અને ગુણવત્તા સંરક્ષિત રાખવા રોગની યોગ્ય ઓળખ, જાગરુકતા અને નિયંત્રણ જરૂરી છે.
વરિયાળીનો પાક : રોગ અને જીવાતથી બચાવ માટે સમજૂતી અને સમયસર પગલાં જરૂરી

