• સૌર ઊર્જા આધારિત સિંચાઈ વ્યવસ્થા ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો ઉકેલી શકે. પર્યાવરણની જાળવણી પણ સૌર ઊર્જાના કારણે ખૂબ જ આસાનીથી થાય છે ત્યારે ખેડૂતોએ આ પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરવો જ રહ્યો
Agriculture News : વાયુ પ્રદૂષણ એ આપણી સૌથી મોટી સમસ્યા છે. વધતા જતાં ઔદ્યોગિકરણ અને જીવનશૈલીથી આવેલા પરિવર્તનનાં કારણે પર્યાવરણ પર જોખમ વધ્યું છે. આ સંજોગોમાં સમય અને આધુનિકતા સાથે તાલ મિલાવવા, કુદરતી અખૂટ સંપત્તિનાં સ્રોત, સૌર ઊર્જાનો અને તેનાં અત્યાધુનિક સૌર સાધનોનો ખેતીમાં ઉપયોગ કરીને આવનારી પેઢી માટે, પર્યાવરણની સુરક્ષા અને ભવિષ્યની ખાદ્ય ઉત્પાદનની ક્ષમતાઓને વધારવામાં માટે માઇલસ્ટોન સાબિત થશે.

