• ખેતપેદાશના વેચાણમાં જાગૃતિ, ટેક્નોલોજી અને સહકારથી આર્થિક સમૃદ્ધિ
• પોષણક્ષમ ભાવ મેળવવો હોય તો માંગ આધારિત કૃષિ પેદાશનું વાવેતર કરવું જોઈએ, કોઈ પણ સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતને તેની ખબર હોવી જોઈએ કે આગામી દિવસોમાં કઈ કૃષિ પેદાશની મહત્તમ માંગ રહેશે
Agriculture News : ખેડૂતે ખેતઉત્પાદનનું પૂરતું આર્થિક વળતર મેળવવું હોય તો ખેતઉત્પાદનથી વેચાણ સુધીનો આખો પ્રવાહ જાગૃતિભર્યો અને સજ્જ હોવો જોઈએ. મોટાભાગે એવું બનતું હોય છે કે ખેડૂત પાક તૈયાર થયા પછી તરત જ પાકનું વેચાણ કરી દે છે, કોઈવાર માળખાગત સમસ્યાઓ, બજારની જાણકારીના અભાવ કે દલાલો પર નિર્ભરતાને કારણે પોતાનાં મૂલ્યવાન ઉત્પાદનોની યોગ્ય કિંમત મેળવવામાં અસમર્થ રહે છે. આ સ્થિતિને બદલવી જરૂરી છે.

